ફીમેલ જેનિટલ કટિંગ વિષે એક માંનો સાહસિક નિર્ણય

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 23 મે 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિતકરવામાં આવ્યો હતો. Read the English version here and the Hindi translation here.)

લેખક: અનામી

ઉંમર : 30
દેશ : અમેરિકા

જ્યારે હું લગભગ 15 વર્ષની હતી ત્યારે મેં ખતના શબ્દ અને તેની પ્રથા વિષે સાંભળ્યું હતુ. હું મારી સહિ સાથે AOL ઈન્સ્ટન્ટ મેસેન્જર પર વાત કરી રહી હતી ત્યારે તેણીએ મને પૂછ્યું કે શું મારા પર ક્યારેય ખતનાની પ્રક્રિયા કરવામાં આવી છે. એ સમયે, આ પ્રથા અથવા હું જે બોહરા સમાજમાંથી આવુ છું, તેમાં નાની દીકરીઓ પર ખતના પ્રથાની પ્રક્રિયા કરવામાં આવતી હતી એ બાબતથી હું બીલકુલ અજાણ હતી. મને સમજાતુ નહોતું કે મારી સહિને શું જવાબ આપવો. બાળકોના જન્મ સમયે અનુસરવામાં આવતી અન્ય પ્રથાઓ, જેમ કે છઠ્ઠી, જ્યારે બાળકનું નામકરણ કરવામાં આવે છે અથવા અકિકાહ, જેમાં બાળકના જન્મ પ્રસંગે એક બકરીની બલિ આપવામાં આવે છે. મને લાગ્યું કે કદાચ મારા પર ખતના પ્રક્રિયા કરવામાં આવી હશે પરંતુ,ત્યારે હું ખૂબ જ નાની હોઈશ એટલે મને યાદ નથી.

મેં તુરત જ મારી માંને ખતના વિષે પૂછ્યું અને કહ્યું કે શું મારા પર તે પ્રક્રિયા કરવામાં આવી છે. તેણીએ જવાબ આપ્યો કે “ના દીકરી, મેં તારા પર તે પ્રક્રિયા કરી નથી.” ધીમેથી અને થોડી ચિંતા સાથે તેણી આગળ કહેવા લાગી કે “પરંતુ, આ વાત ક્યારેય કોઈનીસાથે કરતી નહીં.” આ પ્રથા ખરેખર શું છે એમ પૂછી મેં મારી તપાસ આગળ વધારી. મારી માં સરખી રીતે સમજાવી શકી નહિં કે ખતના શું છે અને શા માટે અપનાવામાં આવે છે. તેણી ફક્ત એટલું જ સમજાવી શકી કે દીકરીઓના “ગુપ્તઅંગો”ને કાપવામાં આવે છે. તેણીએ આગળ જણાવ્યું કે હાં, સાત વર્ષની ઉંમરે તેણીના પોતાના પર ખતનાની પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ, અંગને કાપવાના સમયથી અત્યાર સુધી તેણીને જે શારીરિક અને ભાવનાત્મક પીડા ભોગવવી પડી તેને કારણે તેણી નથી ઈચ્છતી કે તેની દીકરીઓ પર આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવે.

તે સમયે, મને એ બાબતનું મહત્વ સમજાયું નહિં કે શા માટે મારી માં મારી અથવા મારી બહેનો પર આવી કોઈ પ્રક્રિયા કરવા રાજી નથી અને શા માટે તેણીએ સ્પષ્ટ રીતે એમ કહ્યું કે આ વાત કોઈની સાથે શેર કરવી નહિં, ખાસ કરીને સમાજની અંદર.

ખતના વિષેની મારી શરૂઆતની પૂછપરછના થોડા વર્ષ પછી, એક સ્થાનિક મસ્જિદમાંહું બધા બૈરાઓની એક બેઠકમાં હતી. ત્યાં ભાઈસાબનાબૈરા જેને બેનસાબ પણ કહે છેતેમને કોઈએ ખતના વિષે પૂછ્યું. બનેસાબે જવાબ આપ્યો કે બૈરાઓના સેક્સ્યૂઅલ સુખમાં વધારો કરવા માટે ખતના પ્રથા અપનાવામાં આવે છે અને સમાજના બધા બૈરાઓએ આ પ્રથા અપનાવવી જરૂરી છે. વર્ષો પહેલા મારી માં પાસેથી મનેએકદમ અલગ માહિતી મળી હોવાથી, બેનસાબની ટીપ્પણીએ મને કનફ્યુઝકરી દીધી. તેમ છતાં, આ પ્રથા અપનાવવી જરૂરી હોવાના બેનસાબના ઉત્તરે, મને મારા પર ખતના પ્રક્રિયા ના થઈ હોવાની વાત કોઈનીસાથે શેર ના કરવાની મારી મમ્મની સલાહને સમજવામાં મદદ કરી. મારી મમ્મી ડરતીહતી કે સમાજની પ્રથા વિરૂદ્ધ જવા બદલ, મારી મમ્મી અથવા તેણીના કુટુંબને તીખી પ્રતિક્રિયાનો સામનો કરવો પડી શકે છે. તેથી, તેણીએ તેણીના આ સાહસિક નિર્ણયને છૂપાવી રાખ્યો.

આજે મોટા થઈ ગયા બાદ, ખતનાને કારણે થતા શારીરિક અને ભાવનાત્મક પીડા વિષે સાંભળ્યા પછી, મારી માંએ મારી અને મારી બહેનો માટે જે કંઈ કર્યું તેનો મને અહેસાસ થયો અને હું તેની કદર કરું છું. જે બૈરાઓ ખતના પ્રથા હેઠળથી પસાર થયા છે તેઓને તેમના દૈનિક જીવનામાં કેવી તકલીફો સહન કરવી પડતી હશે તે હું સમજી શકતી નથી. આ પ્રથાને આજે પણ (વધારે છૂપી રીતે) અનુસરવામાં આવે છે એ બાબત મને આઘાત આપી રહી છે અને શા માટે ખતના આજે પણ સમાજની એક પ્રથા છે તે માટેવધારે પડતા લોકો પાસે “પરંપરા” સિવાય અન્ય કોઈ યોગ્ય તબીબી કારણ નથી અથવા તો તેઓ એ પણ જાણતા નથી કે શા માટે આ પ્રથા અપનાવામાં આવી રહી છે. મને આશા છે કે જેમ-જેમ વધારે લોકો આ પ્રથા અને તેનાથી થતા નુક્શાનથી માહિતગાર થશે તેમ-તેમ સમાજની અંદરથી જપંરપરાના નામે નાની દીકરીઓના અંગ કાપવાની પીડાદાયક પ્રથાને બંધ કરવા માટેના પ્રયત્નો મજબૂત રીતે થવા લાગશે.